Aug 18, 2024

ડિજિટલ ગુજરાતમાં શિષ્યવૃતિ સંબંધિત સમસ્યાઓ અને તેના ઉકેલો

 1. ડિજિટલ ગુજરાત પર પાસવર્ડ બદલવામાં સમસ્યા આવી રહી છે. અથવા નવો પાસવર્ડ બનતો નથી. 



જવાબ : પાસવર્ડ માટે નીચે મુજબની પોલિસી અનુસરો તો તમને કોઈ મુશ્કેલી પડશે નહીં.



તમામ User એ "Password Policy" મુજબ જ પાસવર્ડ રાખવાનો રહેશે. પાસવર્ડ રાખવાની Requirement નીચે મુજબ છે.


૧. પાસવર્ડ ૮ થી ૨૦ Character સુધીનો જ રાખવાનો રહેશે.


૨. પાસવર્ડમાં એક Capital Character તથા એક Small Character તથા એક Number હોવો જરૂરી છે.


૩. પાસવર્ડમાં "@,#,?,$" આ સ્પેશીયલ Character પૈકી કોઇ એક હોવુ જરૂરી છે.


૪. પાસવર્ડમાં મોબાઇલ નંબર કે ઇમેઇલ એડ્રેશ રાખી શકાશે નહિ તેમજ મોબાઇલ નંબર કે ઇમેઇલનું Partially Text પણ રાખી શકાશે નહિ.


*૫. કોમન પાસવર્ડ જેવાકે Abc@123,  xyz@123, 123456789, 123, 789 વિગેરે રાખી શકાશે નહિ.*


*૬. પાસવર્ડમાં ABC, DEF, XYZ, 123, 456, 789 જેવી સળંગ Sequence રાખી શકાશે નહિ*



2. શું ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃતિમાં પાસવર્ડ બદલવાનો થાય છે ? 



જવાબ : હા, દરેક શાળાએ હાલ પોતાનો પાસવર્ડ એકવાર બદલો જરૂરી છે.


3. ડિજિટલ ગુજરાત પર પાસવર્ડ બદલવા માટે શું કરવું ?


જવાબ : તમામ યુઝર પોતાના પાસવર્ડ "Forgot Password" પર જઇ *Change* કરી શકે છે.


તમામ યુઝર પોતાના પાસવર્ડ "Forgot Password" પર જઇ *Change* કરી શકે છે.


4. આચાર્ય નો મોબાઇલ નંબર અને નામ બદલવું છે તો કઈ રીતે બદલી શકાય ?


જવાબ : ડિજિટલ ગુજરાતમાં લોગીન કર્યા બાદ Help મેનુ માં જઈ update principal mobile number and name પર ક્લિક કરી વિગતો ભરી સેવ કરવાથી આચાર્યશ્રીનો મોબાઈલ નંબર અને નામ બદલી શકાય છે. 


5. ડિજિટલ ગુજરાતમાં દિવસમાં બીજી વખત લોગીન કરીએ ત્યારે ઓટીપી આવતો નથી ?


જવાબ : મિત્રો ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃતિમાં તમે દિવસમાં પ્રથમ વાર લોગીન કરો છો ત્યારે જે ઓટીપી આવે છે એ જ ઓટીપી આખો દિવસ સુધી ચાલે છે. અન્ય કોઈ ઓટીપી ની જરૂર રહેતી નથી.


6. E KYC કોના માટે ફરજિયાત છે ?


જવાબ : BCK-4 અસ્વચ્છ યોજના અને BCK 35 ધોરણ 9-10 આ બે યોજના ભારત સરકાર ની છે તેમાં E KYC ફરજિયાત છે.




બક્ષીપંચ જાતિની, વિચરતી વિમુક્ત જાતિની કે જનરલ જાતિ માટે E KYC કરવાનું નથી.


7. બાળકની રેશનકાર્ડ અને આધાર કાર્ડ ની વિગતો નાખવી ફરજીયાત છે ? 



જવાબ : હા, ચાલુ વર્ષથી બાળકનો આધારકાર્ડ વેરીફાઇ કરવું ફરજિયાત છે. ચાલુ વર્ષથી ફેમિલી ID પ્રોજેક્ટ અંતર્ગત દરેક બાળકનો રેશન કાર્ડ નંબર 18 આંકડાવાળો ફરજિયાત છે. 


8. બાળકનું રેશનકાર્ડમાં નામ ન હોય તો તેના ભાઈ કે બહેન નો આઈડી નાખીએ તો ચાલે ? 


જવાબ : ના, ના શિષ્યવૃત્તિ માટે જે બાળકની દરખાસ્ત કરવાની થાય છે એ બાળકનો જ રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે એના ભાઈ કે બહેનનો નાખી શકાશે નહીં. 


9. જો બાળકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો શું કરવું ? 


જવાબ : બાળકનું નામ રેશનકાર્ડમાં ન હોય તો દરેક ગામની ગ્રામ પંચાયતમાં VC હોય છે એ બાળકનું નામ રેશનકાર્ડમાં ચઢાવી આપે છે.


શાળામાંથી આચાર્યએ આપેલ જન્મ તારીખ નો દાખલો, બાળકના આધાર કાર્ડ ની ઝેરોક્ષ અને રેશનકાર્ડ આટલું લઈને ગ્રામ પંચાયતમાં જવાથી બાળકનું નામ રેશન કાર્ડ માં દાખલ કરી શકાય છે.


10. આધારકાર્ડ મુજબ નામ અને આધારકાર્ડ નંબર નાખતા વેરિફિકેશનમાં નો લખેલું આવે છે તો શું કરવું ? 


જવાબ : આધાર કાર્ડ મુજબ નામ અને આધાર કાર્ડ નંબર નાખતા વેરીફાઈ કરતા જો સ્ટેટસ ન આવે તો ચાલ ટ્રેકિંગ મુજબ બાળકની જાતિ ચેક કરવી. જો બાળકની જાતે મેલ અથવા ફિમેલ લખવામાં ભૂલ કરેલ હશે તો પણ આધાર કાર્ડ વેરીફાઇ નહીં થાય. આધારકાર્ડ માં લખેલ જન્મ તારીખ અને ચાઈલ્ડ ટ્રેકિંગમાં લખેલ જન્મ તારીખ બંને અલગ હશે તો પણ વેરીફાઇ નહીં થાય. આ માટે આધાર કાર્ડ અથવા સીટીએસ માં ડેટા સુધારવો પડે.


11. બક્ષીપંચના વિદ્યાર્થીઓનું  E-Kyc સ્ટેટસ શૂન્ય(0)  બતાવતું હોય તો પણ દરખાસ્ત બની શકશે ?


જવાબ : બક્ષીપંચના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનું નામ રેશનકાર્ડમાં હોવું જરૂરી છે.


તેમનું E-Kyc સ્ટેટસ શૂન્ય(0) બતાવતું હશે તો પણ પ્રપોઝલ સબમીટ થઈ જશે.


12. પાસવર્ડ ચેન્જ કર્યા બાદ નવા પાસવર્ડ લોગીન કરીએ તો લોગીન થતું નથી. 


જવાબ : પાસવર્ડ ચેન્જ કર્યા બાદ નવા પાસવર્ડ કરવા જાઓ અને ઇન વેલીડ પાસવર્ડ ની એરર જો આવતી હોય તો google chrome ના અંદર પાસવર્ડ મેનેજરમાં જઈ અને જુના પાસવર્ડ ની જગ્યાએ નવો પાસવર્ડ લખી સેવ આપી દો અને પછી લોગીન કરો થઈ જશે.



ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2024

આ લિંક પરથી તમે બદલી ઓર્ડર ડાઉનલોડ કરી શકશો.. બદલી હુકમ અહીથી ડાઉનલોડ કરો ઓનલાઇન બદલી હુકમ આજથી બાબતનો  જિઆર અહીથી વાંચો 💥 *બદલી ઓર્ડર ડાઉન...